-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
મહારાષ્ટ્રના ગામમાં બીજેપી-એકનાથ શિંદેની જોડી હિટ : ગ્રામ પંચાયત ચૂંટણીમાં નોંધાવી મોટી જીત
૧૬ જિલ્લાની ૫૪૭ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગઠબંધનના ૫૦ ટકાથી વધુ ઉમેદવાર સરપંચ બન્યાᅠ
મુંબઇ તા. ૨૦ : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની જોડીને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સફળતા મળતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૬ જિલ્લાની ૫૪૭ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગઠબંધનના ૫૦ ટકાથી વધુ ઉમેદવારો સરપંચ બન્યા છે. મહા વિકાસ આઘાડી સરકાર પછી, વર્તમાન ગઠબંધન સરકારની રચના જૂનમાં શિંદેના નેતૃત્વમાં કરવામાં આવી હતી. જયારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટી દ્વારા સમર્થિત ૨૫૯ ઉમેદવારો અને શિંદે જૂથના શિવસેના દ્વારા સમર્થિત ૪૦ ઉમેદવારો સરપંચ બન્યા છે. રવિવારે ૧૬ જિલ્લાની ૫૪૭ ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું. તે દરમિયાન ૭૬ ટકા મતદાન થયું હતું, જેની મત ગણતરી સોમવારે કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત ગામના સરપંચ પણ સીધા ચૂંટાયા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાવનકુલેએ કહ્યું કે ચૂંટાયેલા સરપંચોમાંથી ૫૦ ટકાથી વધુ શિંદે-ભાજપ ગઠબંધનના સમર્થક છે. ‘ગ્રામ પંચાયતના પરિણામોએ શિંદે-ફડણવીસ સરકારમાં મહારાષ્ટ્રના લોકોનો વિશ્વાસ પુનઃપુષ્ટ કર્યો છે.'
મુંબઈમાં બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચોમાસા પછી ચૂંટણી થઈ શકે છે. અહીં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સહિત રાજયના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ગ્પ્ઘ્ પર શિવસેનાનું નિયંત્રણ છે. ગત ચૂંટણીમાં બીજેપી બીજા ક્રમે આવી હતી. જો કે શિંદે કેમ્પના બળવા બાદ ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે છે.