Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મીરવાઈઝ ઉમર ફારૂક સહિત કેટલાક કાશ્મીરી નેતાઓએ મુકિત માટે બોન્ડ પર સહી કરી

કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઉભી નહિ થાય તેવી ખાતરી આપી

નવી દિલ્હી, તા. ૨૦ :. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ્દ થયા બાદ જેમની ધરપકડ કરાઈ છે તેઓ બધા પૈકી હુરિયત નેતા મીરવાઈઝ ઉમર ફારૂક, એનસીના બે પૂર્વ ધારાસભ્ય, પીડીપીના એક નેતા વગેરેએ મુકિત માટે એક આશ્વાસન બોન્ડ ઉપર સહી કરી છે. આ બોન્ડમાં એવી શરત છે કે તેઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોઈ સમસ્યા ઉભી નહિ કરે.

જો કોઈ વ્યકિતની ૧૦૭ની કલમ હેઠળ અટકાયત થઈ હોય તો તેણે બોન્ડ પર સહી કરવી પડે છે. તેઓને રાજકીય ભાષણ કરવા ઉપર પણ મનાઈ હોય છે.

(11:34 am IST)