Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ચામોલીમાં ફરીવાર આભ ફાટ્યું : ભૂસ્ખલન થતાં તંબુમાં રહેલા પાંચ શ્રમજીવીનાં મોત

ઉત્તરાખંડના ચમોલીના મલારીમાં આભ ફાટવા જેવી સ્થિતિથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. જેમાં ભૂસ્ખલન થતાં તંબુમાં રહેલા પાંચ શ્રમજીવીનાં મોત નીપજયાં છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનના જોધપુરમાં પણ વરસાદે કહેર વર્તાવતાં પૂરથી સ્થિતિ વણસી ગઈ છે. જેમાં એક હોટલની દીવાલ ધરાશાયી થતાં ત્રણ અને અન્ય એક વ્યકિત એમ કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે

(9:18 pm IST)