Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

કોરોનાઃ શહેરો કરતા ગામડા વધુ સુરક્ષિત

ગુજરાતમાં ૮૫ ટકા વધુ કેસ ફકત પ શહેરોમાં

નવી દિલ્હી, તા.૨૦:  ગુજરાત અનલોક કરાયા બાદ જે રીતે શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસમાં ભયંકર વધારો લગાતાર થઇ રહ્યો છે તે હવે ચિંતાનો વિષય બની રહ્યો છે. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ – ગાંધીનગરના ડિરેકટર અને સરકારની તજજ્ઞ તબીબોની ટાસ્ક ફોર્સના પણ સભ્ય એવા ડો. દિલીપ માવલંકરે તેમના રિસર્ચના આધારે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન શ્રમિકોની વતન વાપસી થઇ રહી હતી ત્યારે એમ લાગતું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધારે બહાર આવશે પણ તેમ થયું નથી. ઉલટાનું શહેરી વિસ્તારોમાં જ કેસ સતત વધી રહ્યા છે. જો દ્યરમાં જ કોઇને કોરોના થયો હોય અને તેના કારણે બીજાને ચેપ લાગે તો રીસ્ક ઓછુ કહેવાય પરંતુ જો બહારથી લાગે એટલે કે દુકાન, ઓફિસ કે બેન્ક વિગેરેથી લાગે તો તે વાઇરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે તેમ કહી શકાય.

ગુજરાતમાં ૨૬ હજાર જેટલા કોરોના પોઝિટિવના કેસ થયા છે તેમાંથી ૨૩ હજાર જેટલા કેસ મુખ્ય પાંચ શહેરોમાંથી છે. શહેરી વિસ્તારમાં કોરોના વધવાનો આ જે ટ્રેન્ડ પકડાયો છે તે તજજ્ઞ તબીબો માટે ચિંતાજનક છે. ડો. માવલંકર અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન-ગુરુગ્રામના ડો. આશિષ અવસ્થી દ્વારા દેશના સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા ટોપ ટ્વેન્ટી જિલ્લાઓનો અભ્યાસ કરીને રિસર્ચ હાથ ધરાયું છે. જેમાં એવું તારણ નિકળ્યું છે કે જયાં ગીચ શહેરી વિસ્તાર અને વસતી હોય તે કોરોનાના કેસ જોડે વધુ સંકળાયેલા છે. ગુજરાતના અમદાવાદ, મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ, થાણે, પૂણે, જયપુર વિગેરે એવા શહેરો છે જેમાં કોરોનાના કેસની સંખ્યા દર્શાવે છે કે કોરોના મર્યાદિત સંખ્યાના શહેરો કે એવા જિલ્લામાં વધી રહ્યો છે જયાં મહત્ત્।મ લોકો વધુ સંખ્યામાં વસી રહ્યા છે.

કોરોનાના કેસને લઇને ૨૭ મે થી ૧૬ જુન સુધીના સમયગાળા દરમિયાન જે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તેના તારણમાં જણાયું છે કે દેશના ૭૩૯ જિલ્લામાંથી ૬૫.૩ ટકા કેસ અને ૭૭.૨ ટકા મૃત્યુ આ શહેરી વિસ્તારો ધરાવતા ૨૦ જિલ્લામાં જ થયા છે. અગાઉના અભ્યાસ મુજબ પાંચ જ જિલ્લામાં ૫૩.૨ ટકા મૃત્યુ હતા તે વધીને ૫૮.૪ ટકા થવા પામ્યા છે. રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ શ્રમિક ટ્રેન જે પાંચ રાજયમાં ગઇ હતી તેવી ઉત્ત્।રપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને છત્ત્।ીસગઢના કોઇ જિલ્લાનો આ સૌથી વધુ કેસવાળા ૨૦ જિલ્લાઓમાં સમાવેશ થતો નથી. અમદાવાદમાં ૨૭ મે એ દેશમાં એક મિલિયન દીઠ સૌથી વધુ મૃત્યુ હોવાનું પણ બહાર આવ્યું છે.

ડો. દિલીપ માવલંકરે તેમના સૂચનો અને નિરીક્ષણ કરતા કહ્યું હતું કે, કોરોના વાઇરસ ઝડપથી ફેલાય છે અને જે લોકો તેના સંપર્કમાં આવ્યા નથી તેવા લોકો મળતા રહેશે તેમ તે ફેલાતો રહેશે. કોરોનાનું ઇન્ફેકશન લાગતું હોય તેવા ૮૫ ટકા લોકોને કોઇ લક્ષણ જણાતા નથી. તેમણે કહ્યું હતું કે એક ગણતરી એવી હતી કે હર્ડ ઇમ્યુનિટી પણ કામ કરશે જે હાલ લાગી રહ્યું નથી પરંતુ તે સેકન્ડ વેવમાં આવી શકે છે. વેકસીન કે ઇમ્યુનિટી ડેવલપ ના થાય ત્યાં સુધી લોકોએ મહત્ત્।મ ધ્યાન રાખવું જ પડશે.

કોરોનાના કેસ અને દર્દીઓનું વધુ સચોટ વિશ્લેષણ થઇ શકે તે માટે તેમણે એવું સૂચન કર્યું હતું કે, જે કેસ નોંધાય છે તેમાં શહેર અને તાલુકા દીઠ કેસના અલગ આંકડા આપવામાં આવે તો વધુ સારી રીતે તેનો ફેલાવો કયાં અને કયા વિસ્તારોમાં થઇ રહ્યો છે તેની જાણકારી મળી શકે. લોકોને પણ કયા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ તેની માહિતી મળી શકે. કોરોનાના રોજેરોજ કેસ નોંધાય છે તેનું મેપીંગ પણ થવું જોઇએ.

(3:47 pm IST)