Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

દેશમાં કોરોનાના સતત ઘટતા કેસ : નવા 2.56 લાખથી વધુ કેસ :વધુ 3,52 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 4146 લોકોના મોત : મૃત્યઆંક 2,91 લાખને પાર: કુલ કેસનો આંકડો 2,60 કરોડથી વધુ

સૌથી વધુ તામિલનાડુમાં 35.579 કેસ, કેરળમાં 30.491 કેસ.મહારાષ્ટ્રમાં 29,991 કેસ, કર્ણાટકમાં 28.869 કેસ,આંધ્રપ્રદેશમાં 22,610 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,091 કેસ. ઓરિસ્સામાં 11,498 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે 

દેશમાં કોરોનાનાં 2.56,429 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3,52,364 નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2,27,01,264 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.56.429 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4146 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.91.303 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.56.429 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,60,27,968 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 30.24,949એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,52,364 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ  2,27,01,264 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 35.579 કેસ, કેરળમાં 30.491 કેસ.મહારાષ્ટ્રમાં 29,991 કેસ, કર્ણાટકમાં 28.869 કેસ,આંધ્રપ્રદેશમાં 22,610 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,091 કેસ. ઓરિસ્સામાં 11,498 કેસ નોંધાયા છે

 
(12:58 am IST)