Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોરોના વાઇરસથી મૃત્યુ પામેલાને દફનાવતા નહીં : ઇલેક્ટ્રિક સ્મશાનમાં અગ્નિદાહ આપજો : ભારતના ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની મુસ્લિમ બિરાદરોને સલાહ

લખનૌ : ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીએ  મુસ્લિમ બિરાદરોને સલાહ આપતા જણાવાયું છે કે કોરોના વાઇરસથી મૃત્યુ પામેલાને દફનાવશો નહીં પણ ઇલેક્ટ્રિક સ્મશાનમાં અગ્નદાહ આપજો જેથી કોરોના વાઇરસના જંતુઓ બળીને નષ્ટ થઇ જાય. તેમના આ સૂચનનો વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:19 pm IST)