Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ટિકિટ કેન્સલ કરવાર પર કોઇ ચાર્જ નહીં લાગેઃ ૧૦૦ ટકા રીફન્ડ મળશે

નવી દિલ્હી,તા.૨૦: ભારતીય રેલ્યેએ કહ્યું કે રદ થયેલ ૧૫૫ ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા પર કોઇ ચાર્જ લગાવવામાં નહીં આવે અને યાત્રીઓને ૧૦૦ ટકા રિફન્ડ મળશે. કોરોના વાઇરસને કારણે આ મહિને ૬૦ ટકા ટિકિટ રદ કરવામાં આવી છે. રેલ્યેએ કોરોના વાઇરસને જોતા તમામ ઝોનને એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઉચિત દિશા -નિર્દેશ જાહેર કર્યા હતા.

(11:35 am IST)