Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

તામિલનાડુમાં બસ અને લોરી વચ્ચે ગમખ્વાર અકસ્માત : 20 લોકોના મોત : 24 લોકો ઘાયલ

બેંગલુરુથી કોચ્ચિ જતા સમયે કેએસઆરટીસી બસને અવિનાશીમાં સવારે નડ્યો અકસ્માત : અનેક લોકોની હાલત ગંભીર

ચેન્નઈ: તમિલનાડુના અવિનાશીમાં ગુરુવાર સવારે મોટી માર્ગ દુર્ઘટના બની છે. બસ અને લૉરીની ટક્કરમાં 20 લોકોનાં મોત થયા છે જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને મહામહેનતે બસમાંથી બહાર કાઢ્યા અને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે  ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે

મળતી જાણકારી મુજબ, બેંગલુરુથી કોચ્ચિ જતા સમયે કેએસઆરટીસી (KSRTC)ની બસ ગુરુવારની સવારે તમિનાડુના અવિનાશીમાં લૉરી સાથે ટકરાઈ ગઈ હતી  ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનો આગળનો હિસ્સો પૂરી રીતે લૉરીની નીચે આવી ગયો. હતો

આ દુર્ઘટનામાં બસની આગળ બેઠેલા 20 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. આ દુર્ઘટનામાં 24 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસમાં લાગી ગઈ છે.

(10:29 am IST)