Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

લાખો ખેડૂતો દિલ્હીના ચારેતરફ ન્યાયની માંગ કરી રહ્યાં છે: સરકાર કેમ સાંભળવા તૈયાર નથી: કોંગ્રેસ

મોદી સરકાર હવે ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ મોટી કંપની બની ગઈ છે

નવી દિલ્હી : નવા કૃષિ કાયદા વિરોધમાં ખેડૂતોનું આંદોલન સતત ચાલુ છે ત્યારે કોંગ્રેસે એક વખત ફરીથી મોદી સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પીએમ મોદીએ પોતે જ જાહેરાત કરી હતી કે, એમએસપી પર બનેલા કાનૂનોને લાગું કરવાની જરૂરત છે. પછી મોદી પોતાની વાત કેમ રાખતા નથી

  તેમણે  કહ્યું કે, ખેડૂત લાખોની સંખ્યામાં દિલ્હીના ચારે તરફ ન્યાયની માંગ કરી રહ્યાં છે. પરંતુ સરકાર સાંભળવા માટે તૈયાર નથી. મોદી સરકાર હવે ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી પણ મોટી કંપની બની ગઈ છે. જે ખેડૂતની મહેનતની ગંગાને મેલી કરીને મુઠ્ઠીભર પૂંજીપતિઓને પૈસા કમાવી આપવા માંગે છે

(12:00 am IST)