Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પંજાબમાં સંઘના નેતાઓ અને શાખાઓ પર આતંકી હુમલાનો ખતરો :ગુપ્તચર એજન્સીનું એલર્ટ

પંજાબમાં રાજનૈતિક પાર્ટીઓની રેલીઓ દરમ્યાન પણ આતંકી હુમલો થવાનું એલર્ટ જાહેર

પંજાબમાં આરએસએસના કાર્યાલય અને વરિષ્ઠ અધિકારીઓ પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુપ્ત એજન્સીઓએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, આરએસસીની શાખાઓ પર આતંકીઓની નજર છે.

  ગુપ્ત એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, સંઘના વરિષ્ઠ નેતાઓ અથવા જ્યાં સંઘના કાર્યક્રમ થઈ રહ્યા હોય તે જગ્યાઓને આતંકીઓ નિશાન બનાવી શકે છે. આ સિવાય પંજાબમાં રાજનૈતિક પાર્ટીઓની રેલીઓ દરમ્યાન પણ આતંકી હુમલો થવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
     અત્રે ઉલ્લેખનીય છે કે રાજાસાંસીમાં રવિવારે એક ધાર્મિક સભામાં ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, અને કેટલાએ લોકો ઘાયલ પણ થયા છે. નજરે જોનારા લોકો અનુસાર, અધિવાલા ગામમાં નિરંકારીઓની એક ધાર્મિક સભામાં મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા લોકોએ ગ્રેનેડ ફેંક્યો.

(12:00 am IST)