Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કેટલાક લોકો ભગવો ધારણ કરી અનૈતિક કામ કરી રહ્યા છે : મંદિરને અપવિત્ર કરવાનું કામ થઈ રહ્યુ છેઃ દિગ્વિજય સામે પ્રચંડ રોષ

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે આપેલા વિવાદિત નિવેદન બાદ ભોપાલમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. ભોપાલના કેટલા મંદિર બહાર દિગ્વિજયસિંહના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો હતોસમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જયારે તેમણે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો ભગવો ધારણ કરી અનૈતિક કામ કરી રહ્યા છે. અને મંદિરને અપવિત્ર કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. જેથી આ પ્રકારના કર્મ કરનારને સનાતન ધર્મ કયારેય માફ નહીં કરે. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ ભાજપે દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો છે.

(3:28 pm IST)