Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાષ્‍ટ્ર નિર્માણ કરવાનું કામ સરકાર બનાવવા જેટલુ સરળ નથીઃ નરેન્‍દ્રભાઇ મોદી

હર ઘર જલ કાર્યક્રમમાં વડાપ્રધાનનું સંબોધન

નવી દિલ્‍હીઃ હર ઘર જલ કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીઅે વિપક્ષને ધ્યાને રાખીને જણાવેલ કે, રાષ્‍ટ્ર નિર્માણ કરવાનું કામ સરકાર બનાવવા જેટલું સરળ નથી.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીઅે જણાવેલ કે, જે લોકોને દેશની ચિંતા નથી તેઓને રાષ્‍ટ્ર બગડે કે બને તે અંગે તેઓને કશો ફર્ક પડતો નથી. આવા લોકો પાણી પ્રશ્ને મોટી મોટી વાતો કરી શકે છે પરંતુ કામ કરતા નથી.

આઝાદીના અમૃતકાળમાં જળ સુરક્ષા ભારત માટે પડકારરૂપ છે. જેથી ૮ વર્ષની પાણી પ્રશ્ને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

(6:12 pm IST)