Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસઃ ત્રણ આતંકી ઠાર

શ્રીનગર :  પાકિસ્તાનમાં નવી સરકારના શપથગ્રહણ અગાઉ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને સસ્ત્રવિરામ ભંગકર્યો હતો. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં એલઓસી ઉપર આવેલા તંગધાર સેકટરમાં ગોળીબારી કરી હતી. આ સમયે  ઘુસણખોરીનો પ્રયાસ પણ થયો હતો જેને  સુરક્ષાદળોએ નાકામ કરી ત્રણ આતંકીઓ ઠાર કર્યા હતા. આ ઉપરાંત સૈદાપોરા, દહની અને ચટકડીમાં પણ પાકિસ્તાની ગોળીબાર થયો હતો. એક તરફ પાકિસ્તાનની  નવી સરકાર દ્વારા શાંતિ અને પાડોસીઓ સાથેના સંબંધો સુધારવાની વાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ  શપથગ્રહણ કાર્યક્રમના થોડો સમય અગાઉ જ જમ્મુ કાશ્મીરમાં નાપાક હરકત કરવામાં આવતા શાંતિના દાવા ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

(12:46 pm IST)