Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

દાભોલકર હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ: મુંબઇ ATSને સફળતા

નવી દિલ્હી : 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ મુંબઈ સીબીઆઈએ શનિવારે ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાના પાંચ વર્ષ બાદ એક આરોપીની ધરપકડ કરી છે.

આ આરોપીને પોલીસને સીબીઆઈને સોંપી દીધો છે.

સીબીઆઈએ એક પ્રેસ રીલિઝ મારફતે જણાવ્યું કે સચિન પ્રકાશરાવ અંદુરેની તેમના કબ્જામા છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે મુંબઈમાં થોડા દિવસો પહેલાં એટીએસ દ્વારા જે હિંદુ સંગઠન સાથે જોડાયેલા શરદ કલાસકરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે પૂછપરછ કરતા દાભોલકરની હત્યાની કળી મળી આવી.

પૂછપરછમાં કલાસકરે કબૂલ્યું કે દાભોલકરની હત્યામાં તેનો મહત્ત્વનો ફાળો હતો.

ઉલ્લેખનીય છે કે દાભોલકર મુંબઈમાં ડૉક્ટર હતા સાથે જ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ પણ હતા. 20 ઑગસ્ટ 2013ના રોજ તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

(12:25 pm IST)