Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ટ્રેનોની 'લેટ લતીફી' થી મુસાફરોને મળશે રાહતઃ હવે ૭૩૪૯૩૮૯૧૦૪ નંબર વોટસએપ પર સેવ કરી મેળવો ટ્રેનોનું લાઇવ સ્ટેટસ

નવી દિલ્હી, તા., ૧૯: ભારતીય રેલ્વેમાં 'લેટ લતીફી' ની સમસ્યા સામાન્ય છે. કેટલી વખત ટ્રેનો વિષેની સાચી જાણકારીના અભાવે મુસાફરોને રેલ્વે સ્ટેશન ઉપર કયારે પહોચવું? તે જાણવામાં તકલીફ પડતી હોય છે અને કલાકો સુધી સ્ટેશન ઉપર બેસી રહેવું પડે છે. અત્યાર સુધી ટ્રેન ઇન્કવાયરી નંબર ૧૩૯ પરથી ટ્રેનોની માહીતી મેળવવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ હવે તમારા મોબાઇલમાં ૭૩૪૯૩૮૯૧૦૪ નંબર સેવ કરી લેવાથી તમને તમારી ટ્રેનની લેટેસ્ટ માહીતી મળી શકશે. આ નંબર ઉપર તમારી ટ્રેનનો નંબર સેન્ડ કરવાથી માત્ર ૧૦ સેકન્ડમાં તમને તમારી ટ્રેન હાલમાં કયાં પહોંચી છે? તે વિષે 'લાઇવ સ્ટેટસ' જાણવા મળી શકશે. આ ઉપરાંત આ નંબર પરથી ટેકસીની સુવિધા, રિટાયરીંગ રૂમ, હોટલ, ટુર પેકેજ, ઇ-કેટરીંગ અને યાત્રા સાથે જોડાયેલી અન્ય જાણકારીઓ પણ મળી શકશે. (૪.૧૫)

(3:50 pm IST)