Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સીનીયર ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસીંગને લાખો રૂ. મળ્યા'તા

એડીશ્નલ સોલીસીટર જનરલ હતા ત્યારે વિદેશથી

નવી દિલ્હીઃ  સીનીયર ધારાશાસ્ત્રી અને દેશના પુર્વ એએસજી (૨૦૦૯ થી ૨૦૧૪) પદે રહી ચુકેલા ઇન્દિરા જયસીંગનો એનજીઓને વિદેશમાંથી ૯૬.૬ લાખ રૂ.નું ભંડોળ મળ્યું હોવાનું સીબીઆઇએ જાહેર કર્યું છે. ઇન્દિરા  જયસીંગ ૨૦૦૯ થી ૨૦૧૪ (મોદી રાજના પ્રારંભ સુધી) દેશના એડીશ્નલ સોલીસીટર જનરલ પદે રહયા હતા. ફરીયાદમાં જણાવાયું છે કે એએસજી તરીકે  વિદેશ ટ્રિપોનું ખર્ચ પણ એનજીઓએ આપેલ. કાનુની જોગવાઇ મુજબ આ માટે ગૃહમંત્રાલયની કોઇ પૂર્વ મંજુરી લીધી ન હતી.

(1:11 pm IST)