Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

2 હજારની નોટ પરત ખેચવાથી શેર માર્કેટમાં કોઈપણ અસર નહિ થાય :નિષ્ણાંતોનું મંતવ્ય

ડીજીટલ પેમેન્ટ માટે ઓનલાઇન સિસ્ટમો વધારે હોવાથી માર્કેટમાં કોઈ ફેરફાર નહી થાય. લીગલ ટેન્ડર તરીકે માન્ય હોવાથી માર્કેટમાં કોઈ અસર નહી પડે

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની નોટ પરત ખેચવાને લઈ શેર માર્કેટ એક્સપર્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આવતીકાલે શેર માર્કેટમાં કોઈ અસર નહી દેખાય. ટોટલ કેસની માત્ર 10% જેટલી જ 2 હજારની નોટો હતી અને પહેલીવાર જ્યારે નોટ બંધી થઈ ત્યારે ડીજીટલ પેમેન્ટ સિસ્ટમ વધુ સક્રિય ન હતી. તેમણે જણાવ્યું કે, ડીજીટલ પેમેન્ટ માટે ઓનલાઇન સિસ્ટમો વધારે હોવાથી માર્કેટમાં કોઈ ફેરફાર નહી થાય. લીગલ ટેન્ડર તરીકે માન્ય હોવાથી માર્કેટમાં કોઈ અસર નહી પડે.

(12:28 am IST)