Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કેન્દ્ર સરકારે દિલ્હી માટે વટહુકમ બહાર પાડ્યો : નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી બનશે

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ વટહુકમ: મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, અગ્ર સચિવ ગૃહ આ ઓથોરિટીના સભ્યો હશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિલ્હી માટે વટહુકમ બહાર પાડ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર અને પોસ્ટિંગ અંગે દિલ્હી સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. વટહુકમ મુજબ 3 લોકોની ઓથોરિટીની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, અગ્ર સચિવ ગૃહ આ ઓથોરિટીના સભ્યો હશે. તેમની સલાહ પર કેન્દ્ર સરકાર નિર્ણય લેશે અને બહુમતીના આધારે લેવાયેલ નિર્ણય માન્ય રહેશે

(11:59 pm IST)