Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ:ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરાશે

મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ જમા નહીં કરાવે તો ધરપકડની સાથે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લઈ શકાય

નવી દિલ્હી :  PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ફરી એકવાર ખબરોમાં છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ ગીતાંજલિ જેમ્સ લિમિટેડ)ના શેરમાં છેતરપિંડીના કેસમાં ગુરૂવારે ભાગેડુ મેહુલને નોટિસ મોકલી છે જેમાં 5.35 કરોડ રૂપિયાની ચુકવણી કરવા સૂચના આપવામાં આવી છે. સેબીએ નોટિસમાં લખ્યું છે કે જો મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ જમા નહીં કરાવે તો ધરપકડની સાથે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લઈ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બીજીવાર કાર્યવાહીકરવામાં આવી છે. આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના મામલામાં સેબીએ મેહુલ ચોક્સીને નોટિસ મોકલી હતી.

   
(9:23 pm IST)