Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત: 22 મે સુધી નહીં થાય ધરપકડ

મુંબઈ : NCBના ભૂતપૂર્વ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. સીબીઆઈ 22 મે સુધી તેમની ધરપકડ નહીં કરી શકે. વાનખેડે આવતીકાલથી સીબીઆઈની પૂછપરછમાં જોડાશે. તેમણે કહ્યું કે મને ન્યાયિક પ્રણાલી અને તપાસ એજન્સીઓમાં પૂરો વિશ્વાસ છે. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.

(8:22 pm IST)