Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઇમરાન ખાનના ઘર પાસેથી ૬ આતંકીઓની ધરપકડ

ઇમરાન ખાનના ઘર પાસેથી આતંકીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પુછપરછ, તલાસી અભિયાન

નવી દિલ્‍હીઃ પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્‍કેલીઓમાં વધારો થઈ રહ્યો છે અને આજે  પાકિસ્‍તાનના પંજાબ  પ્રાંતની પોલીસે એવો દાવો કર્યો છે કે ઇમરાન ખાનના લાહોર ખાતેના સત્તાવાર નિવાસસ્‍થાન પાસેથી છ જેટલા શંકાસ્‍પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે એવા દાવો કર્યો છે કે આ છ આતંકવાદીઓ ઇમરાન ખાનના જમનપાર્ક ખાતેના નિવાસસ્‍થાન પાસેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્‍યારે તેમને પકડી લેવામાં આવ્‍યા છે  તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગત નવમી મેના રોજ સૈન્‍ય અધિકારીઓના નિવાસસ્‍થાન પાસે આચરવામાં આવેલી હિંસા માં આ છ આતંકવાદીઓ સામેલ હતા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે તેવી ચોખવટ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આજે ઇમરાન ખાનના ઘરમાં તલાસી અભિયાન પણ ચલાવવામાં આવશે અને તેની પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે.

(4:23 pm IST)