Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

શ્રીનગરમાં સુરશ્ક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ : ઇન્ટરનેટ સેવાઓ બંધ

શ્રીનગરના કાનેમજારનાં નવકડલ વિસ્તારમાં એન્કાઉન્ટર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરીથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શ્રીનગરના કાનેમજારનાં નવકડલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સ્થાનિકોમાં કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

કાશ્મીર ઝોનની પોલીસે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનાં જવાનો આ એન્કાઉન્ટરમાં સામેલ છે. સુરક્ષા કર્મચારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવા વિશેના ઇનપુટ્સ મળ્યા હતા, ત્યારબાદ આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.

(1:05 pm IST)