Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કોંગ્રેસ હારતી નથી પરંતુ રાજ્યપાલ અમને હરાવી દયે છે :દિગ્વિજયસિંહ

સતત હાર માટે દિગ્વિજયસિંહે આપ્યો જવાબ ;ગોવા મણિપુર,મિઝોરમ અને કર્ણાટકના ઉદાહરણ આપ્યા

 

મંદસૌર : વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ગોવા, મણિપુર, મિજોરમ અને કર્ણાટક રાજ્યોનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી હારતી નથી પરંતુ ભાજપ અને વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલ કોંગ્રેસને હરાવી દે છે. કોંગ્રેસ સતત ચૂંટણીમાં હારવા અંગે એક સવાલનાં જવાબમાં દિગ્વિજયસિંહે આમ કહ્યું હતું

  દિગ્વિજય સિંહે ઉદાહરણ આપતા કહ્યું કે, ગોવા, મણિપુર, મિઝોરમ અને કર્ણાકમાં પણ આવું થયું. તેમણે કહ્યું કે, જો એવું છે તો બિહાર અને ગોવામાં પણ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવવામાં આવવી જોઇએ.તેમણે એવો આરોપ પણ લગાવ્યો કે, કર્ણાટકમાં ભાજપ દ્વારા ખરીદ-વેચાણ કરવામાં આવી રહ્યું છે. એવી સ્થિતીમાં મધ્યપ્રદેશમાં શું થશે, તેવા સવાલનાં જવાબમાં સિંહે કહ્યું કે અમે જનતાની વચ્ચે જઇશું અને કહીશું કે અમને સ્પષ્ટ બહુમતી આપો

(12:00 am IST)