Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પીએમ મોદી જગન મોહન રેડ્ડી જેવા ભ્રષ્ટ લોકોનાં ચોકીદાર :ચંદ્રાબાબુ નાયડુના પ્રહાર

ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ ક્યારેય આંધ્રપ્રદેશનું ભલું નહિ કરે:તિરુપતિમાં નાયડુએ જનસભા સંબોધી

તિરુપતિ : આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરૂપતિમાં જાહેરસભા સંબોધતી વખતે સીએમ નાયડુએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. ભાજપનાં “મૈં ભી ચોકીદાર” અભિયાન પર કટાક્ષ કરતા ચંદ્રાબાબુએ ભાજપને આડેહાથ લીધી હતી.

   નાયડુએ કહ્યું કે, પીએમ મોદી જગન મોહન રેડ્ડી જેવા ભ્રષ્ટ લોકોનાં ચોકીદાર છે.પીએમ મોદી ભ્રષ્ટ લોકોની ચોકીદારી કરે છે અને તેમને છાવરી રહ્યા છે. ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ ક્યારેય આંધ્રપ્રદેશનું ભલું નહિ કરે.

   નાયડુએ YSR કોંગ્રેસ,TRS અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, YSR કોંગ્રેસ પાર્ટી પંખો છે. ટીઆરએસ તેની સ્વીચ છે. જ્યારે દિલ્હીમાં બેઠેલી ભાજપા સરકાર તેને શક્તિ આપે છે. શું આંધ્રનાં લોકો આવો પંખો ઇચ્છશે?

(12:00 am IST)