Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ડુમકા તિજોરીથી નાણાની ઉચાપતનો કેસ શું છે......

         રાંચી,તા. ૧૯ : લાલુને આવરી લેતો આ મામલો ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે ઉચાપત સાથે સંબંધિત છે. ડુમકા તિજોરીમાંથી આશરે ૩.૭૬ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત કરવામાં આવી હતી. આને લઈને સીબીઆઈએ ૧૯૯૬માં એફઆઈઆર દાખલ કરી હતી. આ રકમ ૧૯૯૫થી ૧૯૯૬ વચ્ચે ઉપાડવામાં આવી હતી. મામલાની તપાસ બાદ સીબીઆઈએ ૧૧મી એપ્રિલ ૧૯૯૬ના દિવસે રિપોર્ટ દાખલ કર્યો હતો. ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની સામે પાંચ કેસો સીબીઆઈએ હાથ ધર્યા છે.

(7:35 pm IST)