Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કેજરીવાલે આ શું આદર્યું છે !!

અકાલી નેતા મજિઠીયા પછી હવે નીતિન ગડકરી-કપિલ સિબ્બલ અને અમિત સિબ્બલની માફી માગતા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર ર૦થી વધુ બદનક્ષીના કેસો છે જે કોઇપણ ભોગે પૂરા કરવા તેમણે કમર કસી છે. તેઓ સંબંધિત તમામ પક્ષો અને નેતાઓ સાથે વાતચીત કરશે અને માફી માગી લેશે. તાજેતરમાં પંજાબ અકાલી દળના નેતા વિક્રમસિંહ મજીઠીયાની માફી માગી લીધા પછી આજે તેમણે કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, કોંગ્રેસના દિગ્ગજ કપિલ સિબ્બલ, અમીત સિબ્બલની માફી માગી છે. કેજરીવાલે કહ્યું કે મારા નિવદેનોથી જો તમને દુઃખ થયું હોય તો તે માટે માફી માગું છું. લોકો કેજરીવાલની આ માફી યાત્રાથી આશ્ચર્યચકિત બન્યા છે

(4:51 pm IST)