Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ર૦૧૯માં કોંગ્રેસના કાર્યકર્તાઓને જ વધુ ટીકીટો અપાશેઃ રાહુલનું વચન

ર૦૧૯માં કૌરવ-પાંડવો વચ્ચે જંગ ખેલાશેઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ

નવી દિલ્હી ખાતે કોંગ્રેસના ૮૪ માં અધિવેશનમાં ૧ કલાકના પ્રવચન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપની સરખામણી સત્તા ભુખ્યા કૌરવો સાથે અને પોતાના પક્ષ (કોંગ્રેસ)ને સત્યનિષ્ઠ પાંડવો સાથે સરખાવતા કહેલ કે ર૦૧૯નો ચૂંટણી જંગ કૌરવ-પાંડવ વચ્ચેનો રણસંગ્રામ બની રહેશે. નરેન્દ્રભાઇ ઉપર સીધા પ્રહારો કરતા રાહુલે કહેલ કે 'મોદી' નામ સાથે ભ્રષ્ટ ધંધાર્થી-ઉદ્યોગપતિઓ અને ભારતના વડાપ્રધાન વચ્ચેની સાંઠગાંઠનું પ્રતિક બની ચુકયું છે. રાહુલે આ જોશીલા પ્રવચન દરમિયાન વચન આપેલ કે ર૦૧૯ની ચૂંટણીમાં વધુમાં વધુ ટિકીટો કોંગ્રેસ કાર્યકર્તાઓને આપવામાં આવશે. તેમણે ખેડુતોને કોંગ્રેસે ૭૦,૦૦૦ કરોડના દેવા માફ કર્યાની યાદ આપવા સાથે ભવિષ્યમાં પણ માફ કરાશે તેમ કહેલ.

(2:47 pm IST)