Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કમલનાથ સરકારને વચનો યાદ અપાવવા કોંગ્રેસ વિધાયકના ઘરણા

ખેડતો માટે આપેલા વાયદા પુરા ન થયા હોવાનો દાવો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની  મુશ્કેલીઓ ઘટવાનું નામ લઇ રહી નથી.  શનિવારે કોંગ્રેસના  વિધાયક મુન્નાલાલ ગોયલ મધ્યપ્રદેશ વિધાનસભાની બહાર ઘરણા ઉપર બેસી ગયા હતા. ગોયલના કહેવા મુજબ  રાજયની કોંગ્રેસ સરકાર પોતાના ઘોષણાપત્રમાં કરેલાલ વચનો ભુલી ગઇ છે. આ વચનોને યાદ અપાવવા માટે ધરણા શરૂ કર્યા છે. ગ્વાલિયર પૂર્વથી કોંગ્રેસ વિધાયક ગોયલે કહ્યું કે, તેઓના ઘરણા પ્રદેશ સરકાર કે કમલનાથના વિરોધમા નહોતા.  પણ ખેડુતોની સુખાકારી માટે આપેલા વચનોને યાદ અપાવવા માટે ઘરણા કરવામાં આવ્યા હતા.

વચનોના ભરોસે સરકાર બને છે અને વિધાયકો ચુંટાઇ છે. આ વચન પુરા ન થતા જનતા સવાલ પુછે છે.

(1:20 pm IST)