Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

દેશમાં વધતા જતા દુષ્કર્મના મામલાને લઇ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માંગ છે દુષ્કર્મના મામલામાં ૬ મહિનાની અંદર સજા થવી જોઇએ

           દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ કે દુષ્કર્મના મામલામાં મહિનાની અંદર સજા મળવી જોઇએ આના માટે એક સિસ્ટમની જરુર છે. એમનુ નિવેદન ર૦૧૩ માં પાંચ વર્ષની છોકરી સાથે દુષ્કર્મના એક મામલામા બે પડોશીઓને અદાલત દ્વારા દોષિ ગણ્યા પછી આવ્યું છે.

            કેજરીવાલએ કહ્યું ગુડિયા સાથે દુષ્કર્મ મામલે બન્ને દોષીઓને દોષી ગણવામા આવ્યા છે. ફેસલો આવતા વર્ષ વીતી ગયા. આપણે બધાએ સાથે મળી જલ્દી સિસ્ટમ યોગ્ય કરવાની જરુર છે. દુષ્કર્મના મામલામા મહીનાની અંદર સજા થવી જોઇએ. દિલ્લીની એક અદાલતે બન્ને આરોપીઓને દોષી ગણી બન્ને દોષીઓને ૩૦ જાન્યુઆરીના સજા સંભળાવશે.

(12:00 am IST)