Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

હું સત્યની સાથે સિદ્ધાંતોની સમજુતી નહી કરી શકું : જો બગાવત છે તો અમે બાગી છીએ : શત્રુઘનસિંહા

અહીં વ્યક્તિની વાત નહી વિચારધારાની વાત છે.;જો સરકારનો વિરોધ કરો તો દેશદ્રોહ કહેવાય છે

 

કોલકાતા :લોકસભાની ચૂંટણી પહેલાં કોલકત્તામાં વિપક્ષી દળોને જમાવડો થયો છે. મમતા બેનર્જીની રેલીમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા શત્રૃઘ્ન સિન્હા પણ પહોંચ્યા છે. તેમણે રેલીમાં કહ્યું કે, જો સત્ય કહેવું બગાવવત છે તો સમજો અમે પણ બાગી છીએ. હું સત્યની સાથે સિદ્ધાંતોની સમજુતી નહી કરી શકું. સિવાય યશવંત સિન્હાએ પણ અહીં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અહીં વ્યક્તિની વાત નહી વિચારધારાની વાત છે. છેલ્લા ઘણાં સમયથી કંઇ પણ થાય છે તે આપણે જાણીએ છીએ.

પહેલી સરકાર છે જેણે આંકડાઓ સાથે છેડછાડ કરી, તે આંકડાઓને વધારીને રજૂ કરે છે.સમાજને તોડવાનો અને સમાજને છીન્ન-ભિન્ન કરવાનો તેમનો ઇરાદો છે. જો સરકારનો તમે વિરોધ કરો તો આપને કહેવામાં આવે છે આપ દેશ દ્રોહ છો.

(11:04 pm IST)