Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુશાંતસિંહ રાજપૂત કેસ : ફાર્મહાઉસના પૂર્વ મેનેજર રઈસે મીડિયા સમક્ષ કર્યા મોટા ખુલાસા : રિયા ચક્રવર્તી અને તેનો આખો પરિવાર સુશાંતના પૈસા પર કરતાં હતા પાર્ટીઓ : રિયા નો ભાઈ શૌવિક હમેશા નશામાં રહેતો

રિયા અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે પણ મોટો ઝઘડો થયો હતો

મુંબઈ : સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક સહિત 17 લોકો એનસીબી કસ્ટડીમાં છે. હવે તાજેતરમાં સુશાંતના ફાર્મહાઉસના પૂર્વ મેનેજર રઈસ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર ને લઈ ને ઘણા મોટા દાવા કર્યા છે.

રઈસે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રિયા અમુક હદ સુધી સુશાંતને વશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. સેમ્યુઅલ મિરાન્ડા પણ રિયાની વાત માનતો હતો. એટલું જ નહીં, તેણે આરોપ લગાવ્યો કે રિયાનો પરિવાર સુશાંતના પૈસા પર ફાર્મહાઉસમાં પાર્ટી કરતા હતી.

રઈસે ખુલાસો કર્યો હતો કે સુશાંતનું મરણ જે ઘરમાં થયું હતું તે ઘર રિયાને જરા પણ ગમતું નહોતું. રિયા અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે પણ આ બાબતે ઝઘડો પણ થયો હતો. રિયા સુશાંતની જાસૂસ કરતી અને શ્રુતિથી છુપાવતી. રિયા નો ભાઈ શૌવિક હમેશા નશામાં રહેતો.

તમને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. બિહાર, મુંબઇ પોલીસ બાદ હવે ત્રણ ટીમો સુશાંતનો કેસ હલ કરવા પ્રયાસ કરી રહી છે. સુશાંત કેસમાં, એઈમ્સના ફોરેન્સિક ડોક્ટર આવતા સપ્તાહે સીબીઆઈને રિપોર્ટ રજૂ કરશે. પાછલા દિવસોમાં આની પુષ્ટિ કરતાં ફોરેન્સિક વિભાગના વડા ડો.સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે કાનૂની તપાસ ચાલી રહી હોવાને કારણે રિપોર્ટ જાહેર કરી શકાતો નથી. (બોલિવૂડ તડકા વેબસાઇટમાંથી સાભાર)

(11:52 pm IST)