Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાનને સણસણતો તમાચો

મોદી-જીનપીંગ મંત્રણામાં કાશ્મીરની ચર્ચા નહિ થાય

નવી દિલ્હી, તા. ૧૮ :. યુનોમાં ચીને હાલમાં જ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગની મંત્રણામાં આ મુદ્દો નહિ ચર્ચાય. આ બાબત ચીનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી છે. આવતા સપ્તાહોમાં તેઓ ભારત આવવાના છે. બન્ને નેતાઓ ઓકટોબર મહિનામાં મળવાના છે.

ગયા વર્ષે વુહાનમાં મોદી-જીનપીંગ મળ્યા હતા. બન્ને નેતાઓએ કોઈ ખાસ મુદ્દાને બદલે વ્યુહાત્મક બાબતો અંગે ચર્ચા કરી હતી.

કાશ્મીરનો મુદ્દો બન્ને નેતાઓ વચ્ચે ચર્ચાવાનો ન હોય એ પાકિસ્તાન માટે આંચકા સમાન છે.

(11:45 am IST)