Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વારાણસીમાં નેપાળી નાગરિકનું ફરજીયાત મુંડન : માથા ઉપર ' જય શ્રી રામ ' લખાવ્યું : ઓલી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાવ્યા : વિશ્વ હિન્દૂ સેનાના 5 કાર્યકરોની ધરપકડ

વારાણસી : નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ ભગવાન રામનો જન્મ નેપાળમાં થયો હતો અને તેઓ નેપાળી હતા તેવું નિવેદન કર્યા પછી ભારત સ્થિત હિંદુઓમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.
પરંતુ વારાણસીમાં આ પ્રકોપે મઝા મૂકી દીધાનો બનાવ બન્યો છે.જે મુજબ નેપાળી નાગરિકોનું ફરજીયાત મુંડન કરાવાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.એટલું જ નહીં મુંડન કરાવ્યા પછી તેના માથા ઉપર જય શ્રી રામ લખાઈ રહ્યું છે.
આ જબરજસ્તી આચરવાના આરોપસર વિશ્વ હિન્દૂ સેનાના 5 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:54 pm IST)