Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ICJમાં ચુકાદો સત્યની જીત :માનવ ગૌરવની રક્ષા કરવા સૂચવે છે :ગૃહમંત્રી અમિતભાઇ શાહ

મોદી સરકારનાં રાજદ્વ્રારી પ્રયાસોને કારણે આ બધુ શક્ય થયું છે.

 

નવી દિલ્હી : કુલભષણ કેસ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં ભારતની તરફેણમાં ચુકાદો આવતા દેશનાં ગૃહ મંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખે પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. મામલે અમિતભાઈ  શાહે ટ્વિટ કરતાં જણાંવ્યું કે, ICJમાં આજનો દિવસ ઘણો સારો છે. આજનો ચુકાદોએ સત્યની જીત છે. અને માનવ ગૌરવની રક્ષા કરવાનું સૂચવે છે. મોદી સરકારનું લક્ષ્ છે કે દરેક ભારતીયને પુરતી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. તેમજ મોદી સરકારનાં રાજદ્વ્રારી પ્રયાસોને કારણે બધુ શક્ય થયું છે.

(12:00 am IST)