Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

અગ્નિપથના વિરોધમાં બિહાર બંધ

જહાનાબાદમાં બસ અને ટ્રકને સળગાવ્‍યા : પોલીસ મથક ઉપર પથ્‍થરમારો : ઉત્તરપ્રદેશમાં ૬ એફઆઈઆર દાખલ : ૨૬૦ની ધરપકડ

અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે બિહાર બંધનું એલાન છે : સંખ્‍યાબંધ સ્‍થળોએ બંધની અસર જોવા મળે છે : આ બંધને આરજેડી સહિત સંખ્‍યાબંધ રાજકીય પક્ષોએ સમર્થન આપ્‍યુ છે : પાટનગર પટણામાં કલેકટર અને પોલીસ વડા જાતે સડકો ઉપર ઉતરી પડયા છે અને ભારે મોટી સંખ્‍યામાં પોલીસ અને એસઆરપી દળ તૈનાત કરવામાં આવ્‍યુ છે : દરમિયાન જહાનાબાદમાં એક બસ અને ટ્રકને સળગાવી દેવામાં આવ્‍યા છે જયારે પોલીસ સ્‍ટેશન ઉપર પણ પથ્‍થરમારો થયો છે : દરમિયાન ઉત્તરપ્રદેશમાં અગ્નિપથ દેખાવકારો ઉપર અત્‍યાર સુધીમાં ૬ એફઆઈઆર દાખલ થઈ છે અને ૪ જીલ્લામાં આ ફરીયાદો હેઠળ ૨૬૦ની ધરપકડો થઈ છે.

(1:03 pm IST)