Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

'જેલમાં કેજરીવાલની હત્યાનું કાવતરું' : ઇડીના નિવેદન પર દિલ્હીના મંત્રી આતિશીએ લગાવ્યા ગંભીર આરોપ

EDએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ જેલમાં કેરી અને મીઠાઈઓ ખાય છે જેથી જામીન માટે મેદાન તૈયાર કરી શકાય

નવી દિલ્હી : EDએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ જેલમાં કેરી અને મીઠાઈઓ ખાય છે જેથી જામીન માટે મેદાન તૈયાર કરી શકાય. મંત્રી આતિશીએ કહ્યું કે બીજેપી મુજબ કામ કરતી ED આજે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સતત જુઠ્ઠુ બોલી રહી છે. જેલમાં કેજરીવાલને એ જ ખોરાક આપવામાં આવી રહ્યો છે જેનો ડાયટ ચાર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે,

  આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બીજેપીના નિર્દેશો અનુસાર કામ કરી રહેલ ED આજે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને સતત ખોટું બોલે છે. વાસ્તવમાં કેજરીવાલને જેલમાં એ જ ખોરાક આપવામાં આવી રહ્યો છે, જેનો ડાયટ ચાર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ષડયંત્રના ભાગરૂપે અરવિંદ કેજરીવાલની હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(11:27 pm IST)