Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

૧૯૯૩ મુંબઇ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા થયેલ તાહિર મર્ચેટનું હોસ્પિટલમાં મોત

નવી દિલ્હી : ૧૯૯૩ના મુંબઇ સીરીયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા મેળવનાર તાહિર મર્ચેટનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તબીયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનિય છે કે તે પૂણે યરવડા જેલમાં બંધ હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે તાહિર મર્ચેટની ફાંસી પર રોક લગાવી દીધી હતી. તેની સાથે જ સુપ્રીમે સીબીઆઇ પાસેથી છ સપ્તાહમાં જવાબ માંગ્યો હતો

 

(6:53 pm IST)