Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પાકિસ્તાનને વધુ એક ઝટકો : ઇસીસી વર્લ્ડ કપમાં ભારત -પાક, સામેની મેચ રમાનાર સામે પ્રશ્નાર્થ !

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનેરમાનાર મેચિસ સામે પ્રશ્નાર્થ

મુંબઈ :ઇંગ્લેન્ડમાં રમાનાર આસીસી વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે  સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર પ્રશ્નાર્થ છે. ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમવાથી ઇનકાર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જો સરકાર ઇનકાર કરે તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ નહી રમે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેચ રમાશે.

પુલવામા હુમલા પછી દેશમાં ગમ અને ક્રોધનુ વાતાવરણ છે. પુલવામામાં આત્મઘાતી હુમલામાં 40 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)ના સચિવ સુરેશ બાફનાએ કહ્યું છે કે આગામી વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે ભારતને ન રમવું જોઈએ. મળતા સમાચારો અનુસાર સુરેશે કહ્યું હતું કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીરનાં આક્રમણ અંગે કંઈ બોલતા નથી મતલબ કે કંઈક ગરબડી છે.

(1:56 pm IST)