Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

હવે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને હટાવી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો

સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરોને હટાવી દીધી

નવી દિલ્હીઃ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પંજાબ ક્રિકેટ સંઘ બાદ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને પણ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો પોતાની ગેલેરીમાંથી હટાવી દીધી છે.

   આરસીએના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરોને હટાવી દેવામાં આવી છે. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે એકતા દર્શાવતા એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે. 

   આ પહેલા પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીર હટાવી દીધી હતી. પીસીએના કોષાધ્યક્ષ અજય ત્યાગીએ આ વિશે જણાવ્યું કે, આ નિર્ણય એસોસિએશનના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યાગીએ કહ્યું, એક વિનમ્ર પગલા બેઠળ પીસીએએ પુલવામા હુમલાના શહીદો પ્રત્યે એકતા દર્શાવવાનો નિર્ણય લીધો છે. આ જઘન્ય હુમલા બાદ દેશમાં ગુસ્સાનો માહોલ છે અને પીસીએ પણ તેનાથી અલગ નથી. 

(1:41 pm IST)