Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પુલવામા હુમલા બાદ આતંકી સંગઠન જૈશ સાથે સંબંધ ધરાવતા 23 શંકમંદની અટકાયત:NIA દ્વારા પૂછપરછ

શ્રીનગર :પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવનાર 23 શકમંદની સેનાએ અટકાયત કરી છે. તાજેતરમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. અટકાયત કરાયેલ લોકોની NIA  (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)નાં અધિકારીઓ પૂછપરછ કરી હતી

   અટકાયત કરાયેલ લોકોમાં જૈશ-એ-મોહમ્મદ પ્રત્યે સહાનુભૂતિ રાખનાર લોકોનો સમાવેશ થાય છે. ગત ગુરુવારે જૈશ-એ-મોહમ્મદ તરફથી સીઆરપીએફના જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા

 . અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અનેક વર્ષોથી પાકિસ્તાનને તેની ધરતી પર ઉછરી રહેલા આતંકી જૂથોનો સફાયો કરવાનું કહેતું આવ્યું છે. બીજી તરફ પાકિસ્તાને પુલવામા હુમલામાં તેનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે

(1:21 pm IST)