Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પીઓકેમાં ઘુસી મુઝફફરાબાદ ઉપર કબ્જો મેળવી લોઃ ઈઝરાયલના ડ્રોન્સથી મૌલાના મસુદ અઝહરનો ઘડો લાડવો કરી નાખો

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આર યા પારના મુડમાં: ટ્વીટ કરીને પોતાની વાત જણાવી

નવી દિલ્હી, તા. ૧૮ :. પુલવામા હુમલાને લઈને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે, ભારત પાસે આનાથી સારો મોકો કદી નહિ મળે. દેશની સેના અને સુરક્ષા દળોએ આ દરમિયાન પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)મા ઘુસીને મુઝફફરાબાદ ઉપર કબ્જો કરી લેવો જોઈએ. તેમણે આ ટીપ્પણી સોશ્યલ મીડીયા થકી કરી છે.

તેમણે ટવીટ કરીને કહ્યુ છે કે, આનાથી સારો મોકો કદી નહી મળે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત તરફ વાતાવરણ જામ્યુ છે. આપણી પાસે સીઝફાયર ઉલ્લંઘન કરીને અને પીઓકેથી મુઝફફરાબાદને ફરી પરત મેળવવાનો સારામા સારો મોકો છે. દેશે ઈઝરાયેલથી ખરીદેલ ડ્રોન્સની મદદથી મસુદ અઝહરનો ઘડો લાડવો કરી નાખવો જોઈએ અને કલમ ૩૭૦ને સમાપ્ત કરી દેવી જોઈએ.

એક અન્ય ટવીટમાં તેમણે કહ્યુ છે કે ઈરાક અને સીરીયાનો સફાયો થયા બાદ હવે ઈસ્લામીક સ્ટેટ પીઓકેને લઈને ઉતાવળુ થયુ છે તેને જૈશ-એ-મોહમદને પોતાની જાળમાં સપડાવી દીધુ છે. આ સંજોગોમાં ભારતે તત્કાલ પગલુ લેવુ જોઈએ. જો આવુ નહિ થાય તો ભારતના વિવિધ હિસ્સામાં આ જેહાદની કેન્સર ફેલાવા લાગશે.(૨-૬)

(12:02 pm IST)