Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રિલાયન્સ ઇન્શ્યોરન્સે IPO માટે નવેસરથી સેબીમાં પેપર્સ નોંધાવ્યા

મુંબઇ, તા. ૧૮ : અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્યોરન્સ કંપનીએ  IPO માટે નવેસરથી સેબીમાં પેપર્સ નોંધાવ્યાં છે. IPO લાવવાનો અગાઉનો પ્લાન ગત નવેમ્બરમાં રદબાતલ થયો ત્યાર બાદ કંપનીએ ફરી પરવાનગી માંગી છે. આ ઇશ્યુ મારફત ર૦૦ કરોડ રૂપિયા મૂલ્યના નવા શેર ફાળવવામાં આવશે. ઉપરાંત રિલાયન્સ કેપિટલ પોતાના ૭,૯૪,૮૯,૮ર૧ શેરનું એમાં વેચાણ કરવાની છે.

અનિલ અંબાણી ગ્રુપને હાલમાં એડલવાઇસ ગ્રુપે વેચી દીધેલા એના ગિરવી મૂકાયેલા શેરની બાબતે એની સાથે વાંધો પડયા બાદ કંપનીએ એને લીડ મર્ચન્ટ બેન્કર તરીકે કાઢી મૂકી છે.(૮.પ)

(12:01 pm IST)