Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

બિહારના ભાગલપુરમાં નીન્દ્રાધીન ભાજપ નેતાની ગોળી મારી હત્યા

ભાગલપુર : બિહારમાં ગુન્હાખોરીનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે એક એવી ઘટના બની છે કે પોતાના ઘરમાં આરામની નિંદ્ર કરી રહેલા ભાજપના એક નેતાની તેના ઘરમાંજ હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને અપરાધીઓ સરળતાથી ત્યાંથી નાસી ગયા હતા. મામલાની જાણકારી મળતા પોલીસ ઘટના જગ્યા પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર આખો મામલો ભાગલપુર જિલ્લાનો છે. જ્યાં ઘરમાં સુઈ રહેલા ભાજપ નેતા મનોજ મંડલ ની અપરાધીઓ ઘ્વારા ગોળી મારીને હત્યા કરી છે. ઘટનાને મોડી રાત્રે અંજામ આપી દેવામાં આવ્યો હતો.

પરંતુ હત્યાની જાણ સવારે થયી જયારે તેની માતા તેને ઉઠાડવા માટે પહોંચી. પોતાના દીકરાની લોહીથી ખરડાયેલી લાશ જોઈને માતા જોરજોર થી ચીસો પાડવા લાગી. ત્યારપછી આજુબાજુના લોકો પણ આવી ગયા. ત્યારપછી તેની જાણકારી પોલીસને આપવામાં આવી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

મળતી માહિતી અનુસાર મનોજ મંડલ રાત્રે જમવાનું જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા. બાજુમાં જનરેટર ચાલવાને કારણે ગોળીના અવાઝ વિશે ખબર પડી નહીં. મનોજ મંડલના ઘરે આવેલા ભાજપા કાર્યકર્તાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક સાફ છબી ધરાવતા નેતા હતા અને લગભગ 2 મહિના પહેલા તેમને એસએસટી મોરચાના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમનો કોઈની પાસે કોઈ ઝગડો હતો નહીં.

ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે ઘટનાને અંઝામ આપવામાં આવી છે. જેમાં ભાજપા નેતાને બે ગોળી મારવામાં આવી છે. એક ગાડી કાનપટીથી સટાક મારવામાં આવી છે જયારે બીજી ગોળી છાતીમાં મારવામાં આવી છે જેનાથી તેમની ત્યાં મૌત થઇ ગયી. જલ્દી આરોપીને પકડી લેવામાં આવશે તેવું પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે.

(9:23 pm IST)