Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અયોધ્યા શ્રી રામમંદિર નિર્માણનિધીની રથયાત્રા કચ્છમાં અટકતા બબાલઃ આગચંપી - લાઠીચાર્જ - ટીયર ગેસની કાર્યવાહી બાદ મામલો કાબુમાં

મુંદ્રા તાલુકાના કીડાણા ગામે રથયાત્રા સમયે નાની ચકમકે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા બઘડાટી : પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : કચ્છના કીડાણા ગામે કાલે અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે નિર્માણનિધી કાર્યક્રમની રથયાત્રા સમયે નાની ચકમકે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસના ધાડેધાડા ઉતરી ગયા હતા અને આગચંપીની ઘટના બાદ લાઠીચાર્જ અને ટીચરગેસની કાર્યવાહી બાદ મામલો કાબુમાં આવી ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પુર્વ અને પશ્ચિમ કચ્છમાં આજે રથયાત્રા દરમ્યાન થયેલી નાની ચકમક પછી સમગ્ર કચ્છમાં ઉચાટ ફેલાયો છે જો કે પરિસ્થિતી પચ્છિમ કચ્છમાં પોલિસે કાબુમાં લઇ લીધી છે અને કોઇ વધુ વિવાદ વગર મામલો થોળે પડી ગયો છે પરંતુ કીડાણા ગામે થયેલી બબાલ હિંસક બનતા પોલિસને જવાબી કાર્યવાહી કરવી પડી છે જો કે સોસીયલ મિડીયાના સદ્દઉપયોગથી પોલિસ અને રેન્જ આઇ.જી કચેરી દુર રહી છે અને હજુ સુધી રીતે ફેલાઇ રહેલી અફવાઓ અંગે પોલિસે કોઇ સતાવાર ફોડ પાડ્યો નથી પરંતુ હાલ સ્થિતી પોલિસના નિયત્રંણમાં હોવાનુ જાણવા મળ્યુ છે જે રીતે મુન્દ્રાના સાડાઉ ગામે નાની બાબતે રથયાત્રા અટકી હતી અને ત્યાર બાદ પોલિસને મોરચો સંભાળવો પડ્યો હતો તે જ રીતે કીડાણા ગામે રથયાત્રા સમયે થયેલી નાનકડી ચકમક બાદ મામલો અતી ગંભીર બન્યો હતો અને ન માત્ર કીડાણા પરંતુ આસપાસના ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા જો કે પોલિસે સત્તાવાર રીતે આ અંગે કોઇ માહિતી આપી નથી પરંતુ ઘટનામાં કટેલાક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનુ સામે આવ્યુ છે તો કેટલાક વાહનોમાં આંગચપી પણ કરાઇ છે જો કે સ્થિતી વધુ બગડતા પોલિસને બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો અને ટોળા વિખેરવા માટે પોલિસને ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ઘટનામાં પોલિસના કેટલાક વાહનોમાં પણ નુકશાન થયુ છે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્તતા વચ્ચે પૂર્વ કચ્છ પોલિસ વડા મયુર પાટિલે પાંચથી સાત ટીયર ગેસ છોડાયાને આપીને પોલીસે મહંદ અંશે સ્થિતી પર પોલિસે કાબુ મેળવી લીધો હોવાનું જણાવ્યું હતું.

આગેવાનોની અપિલ પણ કચ્છમાં ચિંતા

ચોક્કસથી બન્ને ઘટનાઓમાં પોલિસે સક્રિય રહી કાબુ મેળવી લીધો છે. પરંતુ ઘટના બનવા પાછળના સાચા કારણ અંગે પોલિસે કોઇ સત્તાવાર વિગતો આપવાનુ ટાળ્યુ છે રામજન્મ ભુમી રથયાત્રા દરમ્યાન આ બબાલ સર્જાઇ હોવાનુ સામે આવ્યુ છે પરંતુ સત્તાવાર રીતે વહીવટી તંત્ર કે પોલિસ પ્રસાશન તરફથી ચોક્કસ માહિતીની આપલે ન થતા સમગ્ર કચ્છમાં લોકો સોસીયલ મિડીયામાં ફરી રહેલી પોસ્ટથી ભ્રમીત થઇ રહ્યા છે. જો કે હાલ સ્થિતી નિયત્રંણમાં હોવાનુ જાણવા મળી રહ્યુ છે તો પુર્વ કચ્છના સામાજીક,રાજકીય આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. ધટના બાદ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાંએ શાંતિ જાળવવા માટે અપિલ કરવા સાથે ખોટી અફવાથી દુર રહેવાનો સંદેશ પાઠવ્યો છે તો રાજકીય આગેવાનો પણ સ્થિતી પર નજર રાખી રહ્યા છે જો કે પોલિસે આ અંગે સત્તાવાર વિગત આપવા સાથે ધટનાથી લોકોમાં ખોટો ભય ન ફેલાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા નથી પરંતુ હાલ કાર્યવાહી ચાલુ છે. અને સ્થિતી પોલિસની નિયત્રંણમાં છે. ઉપરાઉપરી બનેલા બનાવો પછી બન્ને સમાજ વચ્ચે બેઠકો યોજાય તેવી શકયતા છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને

ન્યુઝ ૪ કચ્છ પણ સામાજીક જવાબદારીના ભાગરૂપે લોકોને અપિલ કરી રહ્યું છે કે ખોટી અફવાઓમાં ન આવી શાંતી જાળવી રાખે પોલિસ પણ શાંતિ સ્થાપવા સાથે ઘટનામાં દોષીતો સામે કાર્યવાહી માટે કટિબદ્ઘ છે રેન્જ આઇ.જી એસ.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે મામલાની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે.

મુન્દ્રા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા પણ આવી રથયાત્રાનુ આયોજન કરાયુ હતુ. જો કે રથયાત્રા મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે પહોચતા મામલો થોડો બિચકયો હતો અને સ્થાનીક અસામાજીક તત્વો સાથે ઉગ્ર બોલાચાલી થતા એક સમયે યાત્રા અટકી હતી.પરિસ્થિતીને સમજી ગયેલા પોલિસના સ્થાનીક થી લઇ ઉચ્ચ અધિકારીઓ અને મહત્વની બ્રાન્ચ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે પહોચેલા એસ.પી સૌરભસિંગે જણાવ્યુ હતુ કે કોઇ મામલે બોલાચાલી થતા મામલો ગરમ બન્યો હતો પરંતુ યાત્રા ફરીથી શરૂ કરી દેવાઇ છે. અને પોલિસનો પુરતો બંદોબસ્ત છે. જો કોઇ ફરીયાદ માટે આગળ આવશે તો ફરીયાદ કરાશે સાથે પોલિસે અફવાઓથી દુર રહેવા અપિલ કરી હતી.

શા માટે રથયાત્રા રોકવી પડી ?

સમગ્ર કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હિન્દુ સંગઠનો દ્રારા રામમંદિરના પ્રચાર અને ધનરાશી એકઠી કરવા માટે રથયાત્રાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત મુન્દ્રા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રાનુ આયોજન કરાયુ હતુ જો કે મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે સ્થાનીક કેટલાક લોકો સાથે માથાકુટના પગલે યાત્રા અટકી હતી. હિન્દુ સંગઠનોએ યાત્રા પર પથ્થરમારો કરાયો હોવાનો આરોપ મુકયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો એકઠા થયા હતા. અને મામલાને ગંભીરતાથી લેવા પોલિસને જણાવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલિસની ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. એક સમયે સોસીયલ મિડીયામા પથ્થરમારો અને હુમલાના સંદેશાઓ વહેતા થયા હતા. જો કે વિવિધ માધ્યમો સાથે વાત કરતા પશ્ચિમ કચ્છ એસ.પી જણાવ્યુ હતુ કે મામલો સંવેદનશીલ છે. જેની તપાસ ચાલુ છે હજુ સુધી પથ્થરમારાની પુષ્ટી થઇ નથી. પરંતુ કોઇ બાબતે મામલો ઉગ્ર ચોક્કસ બન્યો હતો. પોલિસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અને મામલાની તપાસ પોલિસે ગંભીરતાથી શરૂ કરી યાત્રાને ફરી પ્રસ્થાન કરાવી હતી

બનાવ અંગે હજુ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી. પરંતુ હિન્દુ સંગઠનોમાં યાત્રા અટકાવવા માટે થયેલા કાકરીચાળા ને ગંભીરતાથી લેવાઇ છે. મોટી સંખ્યામા લોકો એકઠા પણ થયા છે. જો કે પોલિસે મુન્દ્રામાં મામલો થાળે પાડી બનાવની તપાસ શરૂ કરી યાત્રા પ્રસ્થાન કરાવી છે. સાથે બનાવના ઘેરા પ્રત્યાધાત ન પડે તે માટે કવાયત શરૂ કરી છે. જો કે તે વચ્ચે મુન્દ્રાના સાડાઉની જેમ કિડાણા ગામે પણ યાત્રા અટકાવવાના પ્રયત્નો થયાની ચર્ચા છે. જો કે પોલિસે ન્યાયીક તપાસની ખાતરી સાથે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

(3:18 pm IST)