Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

CAA વિરોધ પ્રદર્શનમાં જોડાયો ટેલીવીઝનનો ફેમસ શો સાવધાન ઇન્ડિયાનો હોસ્ટ સુશાંતસિંહ

ચેનલે શો ની બહાર કરી દીધા તો સુશાંતસિંહે લખ્યું કે હવે સાવધાન ઈન્ડિયા સાથે મારો સંબધ અહિંયા પૂર્ણ થાય છે

 

બોલિવુડનાં કલાકાર અને ટેલીવીઝનનો સુપ્રસિદ્ધ ટીવી શોનાં હોસ્ટ સુશાંત સિંહે અપરાધની સાચી ઘટનાઓ પર આધારિત શોને અલવિદા કીધું છેસુશાંત સિંહે શોને ટ્વિટરનાં માધ્યમથી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા (સંશોધન) અધિનિયમ 2019નો ઉગ્ર વિરોધ દેશભરમાં ઘણા ભાગોમાં અસર થઈ જોવા મળી રહી છે.

  મુંબઈમાં પણ કાનૂનનો વિરોધ પ્રદર્શનમાં અભિનેતા સુશાંત સિંહને શામેલ થયા છે. અને જોઈને ચેનલે તેમને શોની બહારનો રસ્તો બતાવ્યો છે. સુંશાતે મંગળવારે ટ્વિટર પર બાબતે લખ્યું કે હવે સાવધાન ઈન્ડિયા સાથે મારો સંબધ અહિંયા પૂર્ણ થાય છે.

એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું, 'શું તમે સત્ય બોલવાની કિંમત ચૂકવી રહ્યા છો?'

તેના જવાબમાં સુશાંતે લખ્યું કે, એક બહુજ નાની કિંમત 'મારા મિત્ર ! નહીં તો હું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શું જવાબ આપીશ? '

(11:48 pm IST)