Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

નાગરિકતા કાનૂન પર અકાલી દળનો યૂ-ટર્ન, કહ્યું મુસ્‍લિમોને પણ આમાં સામેલ કરવા જોઇએ.

        એનડીએના સહયોગી અકાલીદળએ નાગરિકતા (સંશોધન) કાનૂન પર યૂ-ટર્ન લેતા કહ્યું છે કે મુસ્‍લિમોને પણ  આનો લાભ મળવો જોઇએ. કારણ આપણો દેશ અને આપણું બંધારણ ધર્મનિરપેક્ષ છે.

        બંધારણમાં સ્‍પષ્‍ટ છે કે ધર્મના આધાર પર અન્‍યાય ન થવો જોઇએ. જો કે અકાલી દળએ તોફાની તત્‍વો દ્વારા સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડવાની અને હિંસાની નિંદા કરી છે.

(11:35 pm IST)