Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પીઢ ફિલ્મ અભિનેતા શ્રીરામ લાગુનું પુણેમાં 92 વર્ષની વયે નિધન :

હિન્દી-મરાઠી ફિલ્મોના ઉમદા અભિનેતા અને ઇએનટી સર્જન શ્રીરામ લાગુએ 100થી વધુ ફિલ્મો ફિલ્મો અને 40થી વધુ નાટકોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા

મુંબઈ : હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શ્રીરામ લગુનું  પૂણેમાં અવસાન થયું છે. તે 92 વર્ષના હતા, છેલ્લા કેટલાક દિવસોથી તેની પૂનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી તેની તબિયત અચાનક કથળી હતી ડોક્ટરોના અથાગ પ્રયાસ છતાં તબીબો તેઓને બચાવવામાં નિષ્ફળ ગયા.હતા
                    શ્રીરામ લાગુ માત્ર એક સારા અભિનેતા જ નહીં, પરંતુ તે એક વ્યાવસાયિક ઇએનટી સર્જન પણ હતા.  શ્રીરામ લગુએ 100 થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મો કરી હતી. લગભગ 40 મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકો ભજવ્યાં હતા . આ સિવાય તેમણે લગભગ 20 મરાઠી નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. હતું લાવારિસ, હેરાફેરી, એક દિન આચાન જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી.હતી 

(11:26 pm IST)