Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષોને ફેંક્યો પડકાર : હિંમત હોય તો કહો કે પાકિસ્તાની દરેક નાગરીકને ભારતની નાગરીકતા આપશે

તમામ પક્ષોને આ વીરોની ધરતી પરથી પડકાર આપે છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ એલાન કરે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ઝારખંડના બરહેટમાં ચૂંટણી રેલીને સંબોધી.આ દરમિયાન તેમણે નાગરીકતા સુધારા કાયદાની વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનને લઇને કોંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન તાક્યું હતું 

પીએમ મોદીએ કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું કે તેઓ કોંગ્રેસ સહિત તે તમામ પક્ષોને આ વીરોની ધરતી પરથી પડકાર આપે છે કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ એલાન કરે કે તેઓ પાકિસ્તાનના દરેક નાગરીકને ભારતની નાગરીકતા આપવા માટે તૈયાર છે.

દેશ તેમનો હિસાબ ચુકતે કરશે. કોંગ્રેસમાં હિંમત હોય તો તે  જાહેર કરે કે તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફરીથી આર્ટિકલ-370 લાગુ કરશે.

(10:06 pm IST)