Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

યોગી આદિત્યનાથના શ્વાન ''કાલુ'' ને ભોજનમાં પનીર અતિ પ્રિય !!!

ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પાળતૂ શ્વાન ઈન્ટરનેટ સેલેબ્રિટી બની ગયો છે. CM યોગીના કાળા રંગના લેબ્રાડોરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. CM આદિત્યનાથના શ્વાનનું નામ કાલૂ છે. જે CM યોગીનો દ્યણો પ્રિય શ્વાન છે. જયારે પણ CM યોગી આદિત્યનાથ ગોરખપુર આવે છે ત્યારે તે શ્વાન તેમની આસપાસ જ ફર્યા કરે છે.

CM યોગી આદિત્યનાથની કાલૂ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જયારે યોગી કાલૂને પનીર ખવડાવી રહ્યા હતાં. આ શ્વાનને ડિસેમ્બર ૨૦૧૬માં ગોરક્ષ મંદિરમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૩ મહિના પછી ૨૦૧૭માં યોગી આદિત્યનાથ ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા હતા. CM યોગી પાસે પહેલા રાજા બાબૂ નામનો એક શ્વાન હતો, પણ તેના મૃત્યુ પછી  યોગી વ્યથીત રહેતા હતા.

CM યોગી આદિત્યનાથને કાલૂ એક ભકતે ભેટમાં આપ્યો હતો. જે થોડા સમય સુધી દિલ્હીમાં રહ્યો અને પછી તેને ગોરખપુર લાવવામાં આવ્યો. લોકોનું માનવું છે કે કાલૂ CM યોગી આદિત્યનાથ માટે ભાગ્યશાળી છે. મુખ્યમંત્રી બનવા પહેલા તે કાલૂની દેખરેખ કરતા હતા.

CM યોગી આદિત્યનાથના આ શ્વાન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.   યોગી આદિત્યનાથનો આ પાળતુ શ્વાન શાકાહારી છે. તે ગાયનું દૂધ, શાકભાજી, રોટલી અને પનીર જ ખાય છે.

(3:50 pm IST)