-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
નાઈજીરીયામાં ૧૯ માલધારીઓને ત્રાસવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા
પહેલા ઢોર - ઢાંખરને નિશાન બનાવી પશુપાલકોને ફૂંકી માર્યા
અબુઝા : નાઇજીરીયાનાં ઉત્ત્।ર-પુર્વ ભાગમાં જેહાદી સંગઠન બોકો હરામે ૧૯ જેટલા માલધારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતાં,સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર પહેલા માલધારીઓનાં પશુઓને નિશાન બનાવાયા હતાં,
આ દરમિયાન સશસ્ત્ર અથડામણ થઇ,ત્યાર બાદ બોકો હરામ પર હુમલા કરાયા હતાં.
કેમરૂન સાથેની સરહદની નજીકનાં ફુવે ગામમાં અથડામણ થઇ હતી,જેહાદી વિરોધી મિલિશિયાનાં નેતા ઉમર કાચલા અનુસાર કટ્ટરપંથીઓ અથડામણમાં ૧૯ માલધારીઓને ગોળી મારીને હત્યા કરી હતી.
આતંકી સંગઠન બોકો હરામ આ પહેલા અસંખ્ય ક્રુર હુમલા કરી ચુકયું છે.ઘણી વખત આ સંગઠને સેના પર પણ હુમલા કરીને મોટું નુકસાન પહોચાડ્યું છે.
કાચલાનાં જણાવ્યા અનુસાર મૃતક માલધારીઓનાં મૃતદેહો પોલીસને સોંપી દેવામાં આવ્યા છે
અત્રે ઉલ્લેખનિય છે કે બોકો હરમે ખેડુતો,માલધારીઓ અને કઠીયારાઓ પર તેમની સાથે લડી રહેલી સેના માટે જાસુસી કરવાનાં આરોપ લગાવીને તેમના પર હુમલા તેજ કર્યા છે.